જયવતીબેન કાજી નવભારત પરિવાર ના ખુબજ જાણીતા લેખિકા હતા. તેમના તમામ પ્રકાશનો નવભારતે પ્રગટ કર્યા છે. તેમનો અમારા વિશે અને ખાસ તો ધનજીભાઈ માટે નો પ્રેમ અને આદર હતો તે માટે જયવતીબેન અવારનવાર યાદ આવશે. જયવતીબેન નું કોઈ પણ પુસ્તક વાચક ખરીદી જાય ત્યાર બાદ બીજી વખત વાચક તેમના બધા પુસ્તકો લેવા અચૂક આવે જ તેવી તેમની સરળ શૈલી હતી અને વાચક ને જાણે એવું લાગે કે તેમના જીવનમાં પણ આવો પ્રસંગ બન્યો છે. સાવ સામાન્ય વાચક ને પણ તેમની સરળ શૈલી સમજાય જતી.
નવભારત ના પરિવાર માં જયવતીબેન ની ખોટ હમેશ રહશે.
નવભારત સાહિત્ય મંદિર
અશોક ધનજીભાઈ શાહ.